Swasthy Samriddhi Jadibutti Vigyan Sathe – Bhag 1 thi 4
આયુર્વેદ એ માત્ર દવાઓનું જ શાસ્ત્ર કે વિજ્ઞાન નથી પણ એ માનવ જીવનના સર્વાંગી વિકાસ માટેનું વિશિષ્ટ જીવનશાસ્ત્ર છે. આયુર્વેદમાં સમગ્ર જીવંત સૃષ્ટિને ધબકતી રાખવાની, જીવનને રોગ-મુક્ત કરી તેને સ્વાસ્થ્ય પ્રદાન કરવાની અદભુત ક્ષમતા સમાયેલી છે. નવસર્જન પબ્લિકેશન દ્વારા પ્રકાશિત અને કાયમ ચૂર્ણ વાળા ડો.અશોકભાઈ શેઠ સર્જિત ગ્રંથસંપૂટ ‘સ્વાસ્થ્ય સમૃદ્ધિ – જડીબુટ્ટી વિજ્ઞાન સાથે’ ૪ દળદાર ગ્રંથસંગ્રહમાં અણમોલ જડીબુટ્ટીઓ ધરાવતી ઔષધીય વનસ્પતિઓની સંપૂર્ણ સચિત્ર, માહિતી આપવામાં આવેલ છે. વનસ્પતિનાં ફળ, ફૂલ, થડ, મૂળ તથા પર્ણ જેવા દરેક અંગ ઉપયોગી છે જેનાથી માનવજાત સુખી, સમૃદ્ધ અને નિરોગી બની શકે.

