.RAJYA SEVAKNI SEVA VISHYAK BABATNI MARGDARSHIKA
‘રાજ્ય સેવકોની સેવા વિષયક બાબતોની માર્ગદર્શિકા’ અંગેના આ પુસ્તકમાંનુ લખાણ ગુજરાત સરકારશ્રીના લાગુ પડતા, સંબંધિત સેવા-મહેકમ વિષયક નિયમો, ઠરાવો, પરિપત્રો અને લેખકના સરકારી સેવાકાળ દરમિયાનના અનુભવોના આધારે તૈયાર કરાયેલ છે. લાગુ પડતા નિયમો, ઠરાવો, પરિપત્ર વખતોવખત બદલાતા રહે છે. આ પુસ્તકમાં માર્ચ 2024 સુધીના સુધારા આવરી લેવાયેલ છે. રાજ્ય સેવકોની સેવા વિષયક બાબતોની માર્ગદર્શિકા અંગે લખાયેલ આ પુસ્તક સરકારી અધિકારીઓને અને કર્મચારીઓને સરકારી સેવા વિષયક બાબતોની પાયાની જાણકારી મળી રહે તે હેતુસર તૈયાર કરવામાં આવેલ છે. જેમણે ગુજરાત સરકારમાં સચિવાલય કક્ષાએ 40 વર્ષ સુધી જુદા જુદા વહીવટી પદો પર સંનિષ્ઠાપૂર્વક ફરજો બજાવેલ છે તેવાં લેખક શ્રી સી.પી. ઝિંઝુવાડીયા દ્વારા લિખિત આ પુસ્તક રાજ્ય સેવકોને તેમની હોદ્દાકીય, રોજબરોજની વિવિધ વહીવટી કામગીરી કરવામાં અને કરાવવામાં મદદરૂપ થશે.