Modi Vision Stechyu Of Unity
1,500.00
MODI VISION સ્ટેચ્યૂ ઓફ યુનિટી પુસ્તકમાં આ પ્રોજેક્ટના સંકલ્પ(તા.7મી ઓક્ટોબર 2010)થી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને અર્પણ(તા.31મી ઓક્ટોબર 2018) કરવા સુધીની વિગતો આપવામાં આવી છે.
3 in stock
Description
. સરદાર પટેલના જીવનની મહત્વની જાણી અજાણી વાતો પણ આ પુસ્તકમાં જાણીતા સાહિત્યકાર શ્રી દિનેશ દેસાઈ ની અભ્યાસુ કલમે પ્રસ્તુત કરવામાં આવી છે. સરદારના યથાયોગ્ય સન્માનના પ્રતિક રૂપે ગુજરાતે તેમને વિશેષ અંજલિ આપવા વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા તરીકે સરદારની વિરાટ પ્રતિમાનું નિર્માણ કર્યું. લેખક કહે છે ‘રાજનીતિમાં વચનો આપવાને બદલે વચનોને સિદ્ધાંતો તરીકે જાતે જીવી બતાવનાર સરદાર માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી બીજી કોઈ મોટી અંજલિ હોઈ શકે નહીં.’ પુસ્તકમાં એક પેઈજ પર લોકલાડીલા નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીનું તો સામેના પેઈજ પર લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું ક્વોટ ટાંકેલું છે અને સાથે સાથે સરદારશ્રીનાં જીવનકવનનાં વીણેલાં મોતી જેવાં પ્રસંગો આપેલાં છે. હાર્ડ કવર ધરાવતું આ પુસ્તક તેના ગ્લોવ્ઝ પેઈજીસને લઇને આકર્ષક બન્યું છે. બારીકી સાથે ડીઝાઈન થયેલું પુસ્તક આસ્વાદ્ય હોવાની સાથે સાથે ભેટ આપવા માટે પણ ઉત્તમ છે.
Additional information
Dimensions | 20.4 × 21.9 × 2.1 cm |
---|
Reviews
There are no reviews yet.